પ્રણામ. અમારી શ્રી સુમતિનાથ જૈન સંઘ પાઠશાળા વિશે: કુલ ૪૦ બાળકો લાભ લઈ રહ્યા છે. સાંજનો સમય ૭.૩૦ વાગ્યાનો છે. ૨ ગુરુજી સેવા આપી રહ્યા છે: સોનલબેન અને હેમાબેન. પાઠશાળા ના સંચાલક મુકેશભાઈ છે.પ્રતિક્રમણ ના સૂત્રો ઉપરાંત સ્તવન, સ્તુતિઓ,વાર્તા વગેરે ભણાવાય છે. વર્ષમાં ૨ વખત તીર્થો ની જાત્રાએ પણ લઈ જઈએ છે. સુકૃત માં બાળકો સૂત્રો ની પરીક્ષા પણ આપે છે.તપોવન ની સ્પર્ધા માં અવારનવાર ભાગ લે છે. શિબિર, સામાયિક નું પણ આયોજન કરીએ છીએ. વાલીઓને પણ આવરી લઈએ છીએ. સંઘ તરફથી પૂર્ણ સાથ અને પ્રોત્સાહન મળી રહ્યું છે.