એવોર્ડ વિતરણ સમારોહ વિ.સં.૨૦૭૯ (૧૦૬ મી પરિક્ષા)


   વિ સં 2079 જેઠ સુદ બીજી સાતમ, શનિવાર, તારીખ 27/05/23 ના રોજ સુભાષ બ્રિજ પાસે બત્રીસી હોલ માં રાજનગર સંસ્થા ની 106 મી વાર્ષિક પરિક્ષા નો એવોર્ડ એનાયત સમારંભ યોજાઈ ગયો. નૂતન ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી કૂલચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રા માં 125 વિદ્યાર્થી મિત્રો ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રીયકભાઈ અરવિંદભાઈ શેઠ, શ્રી હસમુખભાઈ ગઢેચા, શ્રી નીતિનભાઈ ગાંધી, શ્રી અશોકભાઈ કૈયલવાળા ના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. ત્રણ શ્રેષ્ઠ પાઠશાળા નું બહુમાન, શાસન વંદના માં પ્રથમ આવનાર પાઠશાળા નું બહુમાન, પરિક્ષા લેવા આવનાર શિક્ષિકા બહેનો ને ચણીયા ચોલી , દરેક શિક્ષક ભાઈ બહેનો ને તેમની પાઠશાલા ના પરિક્ષા આપનાર વિદ્યાર્થી દીઠ બહુમાન કરવામાં આવ્યું. પૂજ્ય કુલ દર્શન વિજયજી મહારાજ સાહેબે માર્મિક પ્રવચન આપ્યું, 108 મો એવોર્ડ વિતરણ સમારોહ તેમની નિશ્રામાં કરવા માટે આમંત્રણ આપ્યું. પ્રસંગ બાદ સાધર્મિક ભક્તિ રાખવામાં આવી હતી.
Total Visit

421387