શાસન ગૌરવ યાત્રા વિ.સં.૨૦૭૩


   સંસ્થા ના શતાબ્દી વર્ષ નિમિત્તે વિ.સં.૨૦૭૩ના વૈશાખસુદ૧૧ શનિવાર તારીખ ૦૬/૦૫/૨૦૧૭ ના રોજ શ્રી પરિમલ જૈન સંઘ ,આંબાવાડી થી સવારે ૬/૩૦ વાગ્યે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબ શ્રી ની પાવન નિશ્રામાં રાજનગર(અમદાવાદ)ની વિવિધ પાઠશાળા ના બાળક બાલિકા ઓ ની એક વિશાળ શાસન ગૌરવ યાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું. સમગ્ર આયોજન ના સંપૂર્ણ લાભ શ્રીમતી મંજુલાબેન રમણલાલ વાડીલાલ શાહ ચાણસ્મા વાળા એ લીધેલ હતો. લગભગ ૧૦૦૦ બાળકો ની વિશાળ યાત્રા ઓપેરા ,ધરણીધર ,રેવા દેરાસર, નવકાર સંઘ થઈ ને ૮/૧૫ વાગ્યે શ્રી ધર્મ રસિક તીર્થ વાટિકા પંહોંચી, તેના વિશાળ પ્રાંગણ માં શાસન ધ્વજ વંદના કરવામાં આવી, ભુતપૂર્વ મેયર શ્રી અમિતભાઈ શાહ, પરિમલ સંઘ ના ટ્રસ્ટી શ્રી અમરતભાઇ , પંડિતવર્ય શ્રી વસંતભાઇ દોશી ,શ્રી મોહનભાઇ માલુ, મહાસંઘ ના સેક્રેટરી શ્રી જગતભાઇ પરિખ, સંસ્થા ના પ્રમુખ શ્રી ભુપેન્દ્ર ભાઈ શાહ ના હસ્તે શાસન ધ્વજ લહેરાવવામાં આવ્યો. ત્યારબાદ શાસન વંદના ગીત અને પૂજ્ય શ્રી નું પ્રવચન થયું, સંસ્થા માં ઘણા વર્ષો થી સેવા આપતા પંડિત વર્ય શ્રી પ્રફુલ ભાઈ તથા શ્રી કમલેશ ભાઈ નું બહુમાન કરવામાં આવ્યું. સર્વમંગલ બાદ પધારેલ તમામ ની ભદ્રંકરસુરી સમાધિ ધામ ખાતે નવકારશી રાખવામાં આવી હતી. રાજનગર ના અલગ અલગ નવ વિસ્તાર માંથી સ્પેશિયલ બસો દ્વારા બાળકો આવ્યા હતા. લગભગ નવ વાગ્યે પ્રસંગ નું સમાપન થયું હતું.
Total Visit

418633