એવોર્ડ વિતરણ સમારોહ વિ.સં.૨૦૭૮ (૧૦૫ મી પરિક્ષા)


   સં.૨૦૭૮ ફાગણ સુદ ચોથ, રવિવાર તારીખ ૦૬-૦૩-૨૦૨૨ રવિવાર ના રોજ સવારે ૯/૦૦ વાગે પ.પૂ.આ.ભ.શ્રી ઉદયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની નિશ્રા માં શ્રી પંકજ જૈન સંઘ ઉપાશ્રય માં એવોર્ડ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. દરેક ધોરણ માં પ્રથમ નંબરે ઉતીર્ણ થનાર (અંદાજિત ૧૧૦) વિદ્યાર્થીઓ ને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યો હતો. રાજનગર ની તમામ પાઠશાળા ના શિક્ષક ભાઈ બહેનો નું રૂપિયા ૨૦૦૦/= થી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રીયકભાઈ શેઠ, શ્રી કલ્પેશભાઈ વી.શાહ, શ્રી જીગ્નેશભાઈ ઇડરવાળા, શ્રીમતી સર્યુબેન હસમુખભાઈ વોરા (H N Safal), શ્રી સિદ્ધાર્થભાઇ બગડીયા, શ્રી રિષભભાઈ બગડીયા, શ્રી ભરતભાઈ માણસાવાળા, શ્રી પ્રવીણભાઈ મણિયાર, શ્રી જશુભાઈ સાબરમતી વિ.મહાનુભાવો ના શુભ હસ્તે વિદ્યાર્થી ઓ ને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. પૂજ્ય શ્રી એ પોતાની આગવી શૈલી માં પ્રવચન દ્વારા શિક્ષક અને સંસ્થા ના ટ્રસ્ટીશ્રી ઓ ને માર્ગદર્શન આપ્યું હતું, શ્રી કલ્પેશભાઈ વી. શાહે પણ પ્રાસંગિક વકતવ્ય દ્વારા પોતાના મન ની વાત કરી હતી. પ્રસંગ બાદ સાધર્મિક ભક્તિ રાખવામાં આવી હતી, પ્રસંગ નો સંપૂર્ણ લાભ આંબલી ઉપધાન તપ સમિતિ ( લબ્ધિ નિધાન સંઘ) એ લીધો હતો.
Total Visit

413280